૯ ડિસેમ્બર ૨૦૨૫ : ગુજરાતના ખેડૂતોનું સૌથી મોટું બિનરાજકીય આંદોલન – ગાંધીનગર કૂચ
તારીખ: ૫ ડિસેમ્બર ૨૦૨૫ | સ્થળ: જૂનાગઢ → ગાંધીનગર નેતૃત્વ: હવામાન નિષ્ણાત શ્રી પરેશ ગોસ્વામી (કિસાન સહકાર સમિતિ)
ગુજરાતના ખેડૂતોનો આવો એકઠો થવાનો છે કે ગાંધીનગર ખેડૂતોના પગથી ધ્રૂજી ઊઠશે! હવામાન નિષ્ણાત અને ખેડૂતોના હિતેષી શ્રી પરેશ ગોસ્વામીએ આજે મોટી જાહેરાત કરી દીધી છે:
૯ ડિસેમ્બર ૨૦૨૫, મંગળવાર – ગુજરાતના દરેક ગામડેથી લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે!
આ આંદોલન ૧૦૦% બિનરાજકીય છે
પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કહ્યું:
“કોઈપણ રાજકીય પક્ષના નેતાને સ્ટેજ કે માઈક આપવામાં નહીં આવે. આ ફક્ત અને ફક્ત ખેડૂતનું આંદોલન છે.”
ત્રણ મુખ્ય માંગણીઓ – જેના માટે ખેડૂતો રસ્તા પર છે
- મગફળીની ટેકાના ભાવે ૨૦૦ મણ પૂરી ખરીદી
- ૨૦૧૯નો બાકી પાક વીમો તમામ ખેડૂતોને તુરંત મળે
- ૨ હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂતનું ₹૩ લાખ સુધીનું પાક લોન માફ
શા માટે ૯ ડિસેમ્બરે ગાંધીનગર?
૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ જૂનાગઢ કલેક્ટરને આ ત્રણેય માંગો સાથે આવેદનપત્ર આપીને ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આજે ૧૨ દિવસ પૂરા થઈ ગયા… સરકાર તરફથી એક શબ્દનો જવાબ નથી!
પરેશ ગોસ્વામીનું સીધું નિવેદન:
“અમને લાગે છે અમારી વાત સરકાર સુધી પહોંચી જ નથી. એટલે હવે અમે જાતે જ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી પહોંચીશું.”
ખેડૂત ભાઈઓને સીધી અપીલ
૯ ડિસેમ્બર ૨૦૨૫ – મંગળવાર ગુજરાતના દરેક ગામડેથી ગાંધીનગર આવો! આ તમારા હક્કની લડત છે, તમારા બાળકોના ભવિષ્યની લડત છે.
જય જવાન – જય કિસાન! જય હિંદ – જય ગુજરાત!
આ તારીખ તમારી ડાયરીમાં લાલ પેનથી નોંધી લો – ૯ ડિસેમ્બર ૨૦૨૫